ભૂમિહીન પરિવારોને મળશે ૫-૫ મરલા જમીન : મનોજ સિન્હા

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વહીવટી પરિષદે નિર્ણય લીધો છે કે વંચિત અને જમીનવિહોણા પરિવારોની ઓળખ કરવામાં આવશે. પાત્ર પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૫-૫ મરલા જમીન આપવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી.

તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા ૨૭૧૧ ભૂમિહીન પરિવારોને જમીન આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી હેઠળ ૧,૯૯,૫૫૦ લોકોને ઘર આપવામાં આવ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં, જમ્મુ અને કાશ્મીર સરકારે ૧૮૩,૬૦૨ પરિવારોની ઓળખ કરી હતી જેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. દરેક બેઘર વ્યક્તિને ઘર આપવામાં આવશે. આ માટે વિગતવાર આલેખ તૈયાર કરવામાં આવ્યો છે.આ સાથે તેમણે કહ્યું કે શ્રીનગરમાં જી-૨૦ બેઠકના સફળ આયોજનથી વિશ્ર્વને એક સારો સંદેશ ગયો છે. શ્રીનગર શહેરની ચર્ચા હવે આખી દુનિયામાં છે.

શ્રી અમરનાથ યાત્રા અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે યાત્રા સુચારૂ રીતે ચાલી રહી છે. દસ હજારથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સ્વચ્છતા મહત્વપૂર્ણ છે અને અમે તેનું પાલન કરી રહ્યા છીએ. આ વ્યવસ્થાથી યાત્રાળુઓ ખુશ છે. ટ્રાફિક એક માત્ર સમસ્યા છે અને અમે તેને ટૂંક સમયમાં સાફ કરીશું. લોકોની અવરજવરમાં સરળતા રહે તે માટે હાઈવે પરના ટ્રાફિકને નિયંત્રિત કરવા આઈજી ટ્રાફિકને સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ અતિક્રમણ અભિયાન અંગે તેમણે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ દરમિયાન કોઈ વંચિત વ્યક્તિને સ્પર્શ કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર તેમની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે જ છે.