ભાજપે ડીએમકે પર પ્રહારો કર્યા ડીએમકે મંત્રીએ તેમને પાણીપુરીવાળો કહ્યો : સાથીઓએ પલાયનની માંગ કરી : અન્નામલાઇ

  • તમિલનાડુમાં પ્રવાસી કામદારો પર હુમલાની બાબતમાં સોશિયલ મીડિયામાં નકરી ખબરો જોઇ દુખ થાય છે

ચેન્નાઇ,

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોમાં બિહાર અને અન્ય હિન્દી ભાષી ક્ષેત્રોના પ્રવાસી મજદુરો પર હુમલાના અહેવાલો સામે આવ્યા હતાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ માલા પર તમિલનાડુ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતાં આ બધા વચ્ચે તમિલનાડુ ભાજર પ્રમુખ કે અન્નામલાઇએ કહ્યું કે તમિલનાડુમાં પ્રવાસી કામદારો પર હુમલાની બાબતમાં સોશિયલ મીડિયામાં નકરી ખબરો જોઇ દુખ થાય છે.

કે. અન્નામલાઇએ કહ્યું કે તમિલનાડુમાં પ્રવાસી મજદુરો પર હુમલાની બાબતમાં સોશિયલ  મીડિયામાં ફેલાવવામાં આવી રહીલ નકલી ખબરોને જોવું નિરાશાજનક છે.અમે તમિલ લોકો ધ વર્લ્ડ ઇઝ વનની અવધારણામાં વિશ્ર્વાસ કરે છે અને પોતાના ઉત્તર ભારતીય દોસ્તોની વિરૂધ અલગાવવાદ અને નફરતને સમર્થન કરતા નથી ડીએમકે જે વિભાદન માટે હંમેશા ઉભી રહી છે તે તેને કાપવા માટે પાછા આવી રહ્યાં છે અને હવે તે તેમની જવાબદારી છે કે તે આ સ્થિતિને યોગ્ય કરે અને તેના માટે તેને ખતમ કરવાની એક તક છે.

ડીએમકે મંત્રીએ તેમને પાણીપુરીવાળા કહ્યાં અને તેના સાથીઓએ તેમના પલાયનની માંગ કરી.આ બધાને કારણે જ આ બધુ થઇ રહ્યું છે જે આજે આપણે જોઇ રહ્યાં છીએ.તેમણે કહ્યું કે તમિલનાડુની સામાન્ય જનતા વિકાસ નિર્માણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અમારા પ્રવાસી ભાઇઓ અને બહેનોના યોગદાનનો સ્વીકાર કરી રહી છે અને તેમનું સ્વાગત કરી રહ્યાં છે.

બીજુ બાજુ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે તમિલનાડુમાં પ્રવાસી મજદુરો પર હુમલાના અહેવાલો પર મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ડીએમકે શાસિત રાજયમાં પ્રવાસી મજદુરો પર કહેવાતા હુલાના દાવાને યાનમાં રાથી રાજય સરકારની એક ટીમ તમિલનાડુનો પ્રવાસ કરવા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે તૈયાર છે.

આ દરમિયાન તિરૂપુર પ્રશાસન અને પોલીસે સ્પષ્ટ કર્યું કે તમિલનાડુમાં પ્રવાસી શ્રમિકો પર કહેવાતા હુમલા બતાવનાર વાયરલ વીડિયો નકલી છે અને આવી અફવા ફેલાવનારાઓની વિરૂધ કાર્યવાહી કરવામાં આવશે.બિહાર પોલીસે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું તમિલનાડુના કોઈંબતુર જીલ્લામાં પ્રવાસી શ્રમિકોની ફરિયાદોના ઉકેલ માટે એક સમિતિની રચના કરી છે જેના માધ્યમથી પ્રાપ્ત ફરિયાદો પર તાકિદે કાર્યવાહી કરી તેનું નિવારણ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ વિવિધ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

પોતાના આગામી ટ્વીટમાં બિહાર પોલીસે લખ્યું કોઈંબતુર ઉત્તરી પ્રક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક,તમિલનાડુના અન્ય પોલીસ પદાધિકારી,પ્રશાસનિક પદાધિકારીઓ અને પ્રવાસી બિહારના લોકોથી જરૂરી વાર્તા કરવામાં આવી રહી છે.બિહાર પોલીસ દ્વારા સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.રાજય સરકારના નિર્દેશ પર તમિલનાડુ રાજયમાં બિહાર રાજયના કેટલાક નિવાસીઓની સાથે હિંસાત્મક ઘટનાઓ સંબંધિત સોશ્યિલ મીડિયા પર વીડિયો પ્રસારિત કરવાના આલોકમાં તમિલનાડુ રાજયમાં કાર્ય કરી રહેલ બિહારના નિવાસીઓથી મળી તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.