
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુજીસી નીટ પરીક્ષા રદ કરવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાયું અને કહ્યું કે આ દેશ વિરુદ્ધ કોઈનું મોટું ષડયંત્ર હોઈ શકે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર લખ્યું, અને હવે અનિયમિતતાના સમાચાર પછી યુજીસી નીટ પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ભાજપના શાસનમાં પેપર માફિયાઓ લગભગ દરેક પરીક્ષામાં ગોટાળા કરે છે. આ દેશ વિરુદ્ધ કોઈનું મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે.
અખિલેશ યાદવે કહ્યું કે જો પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થશે તો કાયદો અને વ્યવસ્થા સુધરશે નહીં જેના કારણે દેશ અને રાજ્યમાં અશાંતિ અને અસ્થિરતા રહેશે. જો નીટ પરીક્ષામાં કૌભાંડ થશે તો પ્રામાણિક લોકો ડોક્ટર બની શકશે નહીં અને દેશના લોકોની સારવાર માટે ભવિષ્યમાં ડોક્ટરોની અછત વધશે અને અપ્રમાણિક લોકો લોકોના જીવ માટે જોખમ બની જશે. તેમણે કહ્યું કે યુજીસી નીટ પરીક્ષાની ગેરહાજરીમાં શિક્ષકોની અછત વધુ વધશે. તેમણે કહ્યું કે શિક્ષકોની અછત દેશના વિકાસને અવરોધશે, જે લાંબા ગાળે ઘાતક સાબિત થશે.
તેમણે કહ્યું, “આ બધાને કારણે વહીવટ, આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગશે. આ આપણા દેશ વિરુદ્ધ એક મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે, જેના દૂરગામી નકારાત્મક પરિણામો આવશે. એટલા માટે કોર્ટની દેખરેખ હેઠળ કડક તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સખતમાં સખત સજા મળવી જોઈએ અને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં ન આવે, પછી તે કોઈ પણ હોય. તમને જણાવી દઈએ કે ગેરરીતિના આરોપો બાદ યુજીસી નીટ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે તે ફરીથી કરવામાં આવશે.