ભાજપના મનોજ સોનકરે ચંદીગઢ મેયર પદેથી રાજીનામું

ચંદીગઢ,ચંદીગઢની મેયર ચૂંટણી ૨૦૨૪ના વિવાદને લઈને રાજકીય પક્ષોમાં હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે હવે ભાજપના મનોજ સોનકરે મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપ અધ્યક્ષ જીતેન્દ્ર પાલ મલ્હોત્રાએ આ વાતની પુષ્ટિ કરી છે. મનોજ સોનકરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મેયર પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જો ફરીથી મેયરની ચૂંટણી થાય તો ભાજપ સોનકરને ઉમેદવાર બનાવવા માંગતી નથી. આ સાથે જ ભાજપ કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરોનો પણ સંપર્ક કરી રહ્યું છે, જેથી ત્યાંના કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાઈ શકે. સોમવારે મેયર ચૂંટણી વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપ વિપક્ષી કાઉન્સિલરોને પાર્ટીમાં સામેલ કરી શકે છે.