બાંગ્લાદેશી ઘૂસણખોરો આવીને આદિવાસીઓ સાથે લગ્ન કરે છે.

ઝારખંડના ગોડ્ડા સાંસદ અને બીજેપી નેતા નિશિકાંત દુબેએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સ અંગે મોટો દાવો કર્યો છે. લોક્સભામાં શૂન્ય કલાક દરમિયાન, ઝારખંડના ગોડ્ડાના સાંસદ દુબએ કહ્યું કે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ ઝારખંડ, બિહાર અને પશ્ર્ચિમ બંગાળની વસ્તીને બદલી રહ્યા છે. આ સાથે તેમણે આ રાજ્યોમાં એનઆરસી લાગુ કરવાની માંગ પણ કરી હતી. તેમણે કહ્યું કે એક સાંસદ તરીકે હું ૧૫ વર્ષમાં ૧૦૦મી વખત આ મુદ્દો ઉઠાવી રહ્યો છું.

તેમણે કહ્યું કે આજે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો આવીને આદિવાસીઓ સાથે લગ્ન કરે છે. આ કારણે ખાસ કરીને ગોડ્ડા, પાકુર, સાહિબગંજ, દેવઘર અને જામતારા જેવા જિલ્લાઓમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે. આ હિંદુ-મુસ્લિમનો મુદ્દો નથી. આ આદિવાસીઓની વાત છે. તેમણે દાવો કર્યો કે આવી જ સ્થિતિ પડોશી રાજ્યો બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન નિશિકાંત દુબેએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ચાલો આ વિશે વાત કરીએ. ઝારખંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મારું રાજ્ય ઝારખંડ આદિવાસી બહુલ રાજ્ય તરીકે બિહારથી અલગ થયું હતું. ૧૯૫૧માં ઝારખંડમાં આદિવાસીઓની વસ્તી ૩૬ ટકા હતી, પરંતુ આજે આ આંકડો બદલાઈ ગયો છે. આજે રાજ્યમાં માત્ર ૨૪ ટકા આદિવાસીઓ છે. તેમણે દાવો કર્યો કે ઝારખંડમાં આદિવાસીઓની વસ્તી ઘટી છે.

દુબેએ કહ્યું કે આદિવાસી વસ્તીમાં ઘટાડો થવાનું પરિણામ એ છે કે સમગ્ર દેશમાં સીમાંકન કરવામાં આવી રહ્યું છે પરંતુ ઝારખંડ એક એવું રાજ્ય છે જ્યાં ૨૦૦૮માં સીમાંકન થઈ શક્યું ન હતું. કારણ કે જો ત્યાં સીમાંકન થશે તો તેનાથી લોક્સભામાં એક આદિવાસી બેઠક અને વિધાનસભામાં ત્રણ આદિવાસી બેઠકો ઘટી જશે.

લોક્સભામાં બોલતા નિશિકાંત દુબેએ કહ્યું કે જ્યારે મમતા બેનર્જી સાંસદ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશીઓના કારણે બંગાળની વસ્તી બદલાઈ રહી છે. પરંતુ જ્યારથી તેઓ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી સ્થિતિ વધુ ગંભીર બની છે. આજે માલદા, મુર્શિદાબાદ અને કાલિયાચક બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ભરેલા છે. બિહારના કટિહાર, કિશનગંજ, અરરિયા, પૂણયા અને ભાગલપુરમાં પણ આવી જ સ્થિતિ છે. બાંગ્લાદેશીઓના કારણે અહીં ડેમોગ્રાફી બદલાઈ રહી છે.

પોતાના સંબોધનમાં તેમણે એનઆરસીની પણ માંગણી કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારે એનઆરસી લાવવી જોઈએ અને તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર મોલવા જોઈએ.