બાલાસિનોર રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ક્રૂટ પેટ્રોલિંગ કરાયું

બાલાસિનોર નગરમાં આગામી દિવસોમાં નીકળનાર રથયાત્રાને લઈને બાલાસિનોર પોલીસે નગરમાં વિવિધ વિસ્તારમાં ક્રૂટ પેટ્રોલિંગ કર્યું હતું. નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે નગરના વિવિધવિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં પીઆઈ એ.એન.નિનામા, પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓના અધક્ષ સ્થાને રથયાત્રા આયોજકો સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું. સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.