બાલાસિનોરમાં રામજીમંદિર સોસાયટી પાસે 20 દિવસથી ગટર ઉભરાય છે નગર પાલિકા સાંભળતી નથી : સ્થાનિકો

બાલાસીનોર, બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં આવેલા રામજી મંદિર સોસાયટી કપાસ જીન રોડ પર છેલ્લા 20 દિવસથી ગટરો ઉભરાય છે. જેમાં નગર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર સાંભળતું નથી તેવા આક્ષેપ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં આવેલા રામજી મંદિર સોસાયટી,કપાસ જીન રોડ પર છેલ્લા 20 દિવસથી ગટરો ઉભરાતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધમય વાતાવરણ બની ગયું છે આ બાબતે નગર પાલિકામાં આ ઉભરાતી ગટરો સાફ કરાવવા અનેક વખત મૌખિક માંગ કરવામાં આવી છે, પરંતુ નગર પાલિકાના કોઈ કર્મચારીઓ સ્થાનિક માણસોનું કઈ સંભાળતા નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે આજદિન સુધી આ વિસ્તારમાં ગટરો ઉભરાતી નજરે પડે છે સાથે વિસ્તારમાં અતિશય દુર્ગધમય વાતવરણ પગલે સ્થાનિકો આ વિસ્તારમાં પોતાના મકાનમાં રહેવું પડકાર રૂપ બન્યું છે. જ્યારે રામજીમંદિર સોસાયટીમાં રહેતા રજેશભાઈએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆતો કરવા છતાં કોઈ અમારૂં સાંભળતું નથી.