
નવીદિલ્હી,
દિલ્હીની રાજનીતિમાં ૬ જાન્યુઆરીનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. તે દિવસે નક્કી થશે કે દિલ્હીના મેયર કોણ બનશે. સ્ઝ્રડ્ઢ ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો બાદ હવે મેયરની રેસ પણ રોમાંચક બની છે. વોર્ડની લડાઈમાં આમ આદમી પાર્ટીથી પાછળ રહેલી ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર માટે ઉમેદવારો જાહેર કરીને અરવિંદ કેજરીવાલની પાર્ટી માટે રસ્તો સાફ નથી.
જ્યારે આમ આદમી પાર્ટીએ ૨૫૦ સભ્યોની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૩૪ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ ૧૦૪ વોર્ડ જીતવામાં સફળ રહી હતી. અપક્ષ કાઉન્સિલર લાવ્યા બાદ ભાજપ પાસે હવે ૧૦૫ વોર્ડ છે. કોંગ્રેસે ૯ બેઠકો જીતી તો ૨ વોર્ડમાં અપક્ષ કાઉન્સિલરો છે. આ મુકાબલો ખૂબ જ નજીક હોઈ શકે છે કારણ કે ભાજપ અને છછઁ વચ્ચે સીટનો તફાવત બહુ મોટો નથી.
કોણ જીતશે તેનો નિર્ણય મોટે ભાગે કોની પાસે વધુ સારું લોર મેનેજમેન્ટ છે તેના પર નિર્ભર રહેશે. ૨૫૦ કોર્પોરેટરો ઉપરાંત, સ્પીકર દ્વારા નામાંક્તિ ૧૪ ધારાસભ્યો (આપના ૧૩ અને ભાજપમાંથી એક) અને દિલ્હીના સાત સાંસદો (બધા ભાજપમાંથી) પણ મતદાન કરશે. ’આપ’ અને ભાજપ વચ્ચેની આ હરીફાઈમાં કોંગ્રેસના ૯ અને ૨ અપક્ષ કાઉન્સિલરોના મતો પણ ખૂબ મહત્વના છે. કોંગ્રેસના કોર્પોરેટરો કોને મત આપે છે તે જોવું રસપ્રદ રહેશે. જો કે, એમસીડીમાં મતદાન ગુપ્ત મતદાન દ્વારા થાય છે. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો કોંગ્રેસ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાડો છે. કોઈની સાથે જવું તેના માટે યોગ્ય નથી. કોંગ્રેસના કાઉન્સિલરો પણ વોટિંગમાં ગેરહાજરીનો વિકલ્પ પસંદ કરી શકે છે.
એમસીડીમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. કોઈપણ પક્ષનો કાઉન્સિલર કોઈપણ ઉમેદવારને મત આપી શકે છે. મેયરની ચૂંટણીમાં ક્સોટી એ પણ રહેશે કે કયો પક્ષ પોતાના કુળને વધુ એકજૂટ રાખવામાં સક્ષમ છે. આ જ કારણ છે કે બંને પક્ષોએ એકબીજા પર કોર્પોરેટરોને લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેયરના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે આલે ઈકબાલને ડેપ્યુટી મેયરના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે, ભાજપે રેખા ગુપ્તા અને કમલ બાગડી પર દાવ લગાવ્યો છે.