
ગરબાડા,સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર દ્વારા આયોજિત ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતી મહીસાગર, દાહોદ, પંચમહાલ એમ ત્રણેય જિલ્લાના રોહિત સમાજના સભ્ય દ્વારા સંતરામપુર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી. આ પ્રસંગે કેબિનેટ આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોડની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન યોજાયું. જેમાં દાહોદ જિલ્લાના જેસાવાડા ગામના કિરણસિંહ ચાવડાને સમાજસેવા અને ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે પૂજ્ય સંત મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ તેમજ દિલ્હી ખાતે કબીર કોહિનૂર એવોર્ડ મળવા બદલ ત્રણે જિલ્લાના આગેવાનોએ કિરણસિંહ ચાવડાનું ભવ્ય રીતે અને અદભુત સન્માન કર્યું હતું. આ પ્રસંગે સમાજપંચના પ્રમુખ ગનાભાઈ ભૂનેતર, મંત્રી ગણેશભાઈ બામણીયા, તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌહાણ, સંસ્થાના ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર, કાળુભાઈ સોલંકી રમેશભાઈ સોલંકી, વકીલ ભુલાભાઈ પરમાર, દેવાભાઈ સોલંકી, રમેશભાઈ સિસોદિયા, શૈલેષભાઈ ભૂનેતર, તેમજ સંદેશના પત્રકાર બાબુભાઈ જેવા સમાજના અનેક વડીલો યુવાનો કાર્યકરો આગેવાનો સરપંચો સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.