
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર લોક્સભામાં જવાબ આપ્યો છે. શાહે કહ્યું કે દેશમાં ક્યાંય અવિશ્ર્વાસની ઝલક જોવા મળતી નથી. ન તો જનતાને અવિશ્ર્વાસ છે કે ન તો ગૃહને અવિશ્ર્વાસ છે. દેશના લોકોને પીએમ મોદીમાં સૌથી વધુ વિશ્ર્વાસ છે. જનતાએ સતત બે વખત નરેન્દ્ર મોદીની સ્થિર સરકાર બનાવી. ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. પીએમ મોદી એવા પીએમ છે જે ૨૪ કલાકમાં ૧૭ કલાક કામ કરે છે. પીએમ મોદીએ ભ્રષ્ટાચાર છોડો ભારતનો નારો આપ્યો છે.
શાહે કહ્યું કે જનતા બધું જુએ છે અને બધું જાણે છે. ૧૯૯૯માં અટલજીએ સંસદના નિર્ણયને સર્વોપરી ગણાવ્યો હતો. પીએમ મોદી પોતે ગરીબીનો ભોગ બન્યા છે. મોદી સરકાર ગરીબોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ લાવી. ૨૦૧૪ પહેલા ગરીબોના ઘરમાં શૌચાલય નહોતા. કોંગ્રેસે ગરીબી દૂર કરવાના નામે જનતા સાથે છેતરપિંડી કરી છે. અવિશ્ર્વાસની દરખાસ્ત સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે.
અમે લોન માફ કરવામાં માનતા નથી. તેઓ એવી રીતે કામ કરે છે કે કોઈ ખેડૂતે લોન લેવી ન પડે. ૧૪.૫ કરોડ ખેડૂતોને ૨ લાખ ૪૦ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. સત્તા બચાવવા ભ્રષ્ટાચાર કરવાનું યુપીએનું પાત્ર છે. મોદી સરકારની યોજના રેવડી યોજના નથી. મોદી સરકાર ખેડૂતોને દેવામાંથી મુક્ત કરે છે. જન ધન યોજના પર અમારી મજાક ઉડાવવામાં આવી. નીતિશ કુમારે જન ધન યોજનાની મજાક ઉડાવી.