
પુરી, પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરના વહીવટીતંત્રે શનિવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને લેસર સ્કેનિંગ ટેક્નોલોજી દ્વારા ભગવાનના રત્ન ભંડારની માળખાકીય સ્થિતિની તપાસ કરવાની મંજૂરી આપી હતી. ચાર ધામોમાંના એક પુરીમાં સ્થિત આ ૧૨મી સદીના મંદિરમાં પથ્થરની દિવાલોમાં કોઈ તિરાડો છે કે કોઈ નુક્સાન થયું છે કે કેમ તે શોધવા માટે લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશનના મુખ્ય પ્રશાસક રંજન કે. દાસે જણાવ્યું હતું કે, અમે એએસઆઈને લેસર ટેક્નોલોજી વડે રત્ન ભંડારનું નિરીક્ષણ કરવાની પરવાનગી આપી હતી અને એજન્સીએ આ દરમિયાન મંદિરમાં આવતા ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે લેસર સ્કેનિંગ કારતકના પવિત્ર મહિના પછી શરૂ થવાની ધારણા છે એએસઆઇ અધિકારીએ કહ્યું, રત્ન ભંડારના દરેક પથ્થરની તપાસ કરવામાં આવશે જેથી નાની તિરાડો પણ શોધી શકાય. આ દસ્તાવેજનો ઉપયોગ રત્ન ડિપોઝિટના સંરક્ષણ અને બંધારણની ભૌતિક સ્થિતિ નક્કી કરવા માટે કરવામાં આવશે.