આણંદના વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કર્યો

આણંદ, વર્તમાન સમયમાં લગ્નજીવન બહુ ટૂંકુ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, પતિ-પત્ની સમજણ શક્તિના અભાવે તુ તુ મેં મેં કરતા જોવા મળતા હોય છે. ત્યાર બાદ તે ઝઘડા સુધી પહોંચી જાય છે. ત્યારબાદ તે ક્યારેક હત્યાના બનાવમાં તબદિલ થઈ જાય છે. ત્યારે આણંદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ પતિએ ૧૦૦ નંબર પર પોલીસને કરી જાણ કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, આણંદના વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. એટલું જ નહીં હત્યા કર્યા બાદ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ફેવરીટ હોટેલના રૂમ નંબર ૨૦૩માં બની છે. હત્યા અને આપઘાતના પ્રયાસ બાદ પતિએ ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે આવીને પતિને ૧૦૮ મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. ક્યા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મૃતક મહિલાનું નામ સેજલ દવે અને હત્યારા પતિનું નામ કોટેશ્ર્વર દવે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.