અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની આમને-સામને: પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત

નવીદિલ્હી, અમેઠી લોક્સભા મતવિસ્તાર જે હંમેશા સમાચારોમાં રહે છે. આ બેઠક ગાંધી પરિવારની પારિવારિક બેઠક હતી, પરંતુ ગત લોક્સભા ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ઈરાનીએ અહીંથી જીત મેળવી હતી. સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અહીંથી સાંસદ બન્યા. ૨૦૦૪થી ૨૦૧૯ સુધી અહીંથી ચૂંટાઈને રાહુલ દિલ્હી પહોંચતા રહ્યા, પરંતુ ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં આ ટ્રેન્ડ બદલાઈ ગયો.

આ સંઘર્ષ આજે વધુ ઉગ્ર થવાની ધારણા છે. રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે અમેઠી પહોંચી રહ્યા છે. આ સાથે સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાતે છે. ઈરાની અહીં જન સંવાદ યાત્રા પણ કાઢશે. આવી સ્થિતિમાં એક જ દિવસે અમેઠીમાં રાહુલ-પ્રિયંકા અને સ્મૃતિ ઈરાનીની હાજરીથી બંને પક્ષના સમર્થકોનો ઉત્સાહ ચરમસીમાએ હશે.

મળતી માહિતી મુજબ અમેઠીમાં યાત્રાના સ્વાગત માટે ઘણી જગ્યાએ તૈયારીઓ કરવામાં આવી છે. રાહુલ-પ્રિયંકાનો રોડ શો અમેઠી-ગૌરીગંજ શહેરમાં પ્રસ્તાવિત છે. આ સાથે ગૌરીગંજ સ્થિત ઓફિસમાં પાર્ટીના નેતાઓની બેઠક પણ યોજાવાની છે. સુલતાનપુર-રાયબરેલી હાઈવે પર ગાંધીનગર-બાબુગંજ વચ્ચેના ઈડી ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અયક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અહીં તેમની સાથે જોડાશે.

આ સાથે એવું માનવામાં આવે છે કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ આ યાત્રામાં ભાગ લઈ શકે છે. અખિલેશ યાદવે તાજેતરમાં એક પત્ર લખીને કહ્યું હતું કે તેઓ અમેઠી અથવા રાયબરેલીમાં આ યાત્રામાં ભાગ લેશે. જો કે, આ અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. સૂત્રો દાવો કરી રહ્યા છે કે સપાએ કહ્યું છે કે પહેલા સીટની વહેંચણી નક્કી કરવામાં આવે, ત્યારબાદ જ સપાના વડા આ યાત્રામાં ભાગ લેશે.

કોંગ્રેસની આ મુલાકાત ઉપરાંત સ્મૃતિ ઈરાની પણ આજે શહેરમાં પહોંચી રહી છે. તેમને ચાર દિવસ માટે તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત લેવાનો પ્રસ્તાવ છે. પહેલા દિવસે તે અમેઠી વિધાનસભા ક્ષેત્રના ગામડાઓમાં પણ પહોંચશે અને જન સંવાદ વિકાસ યાત્રા દ્વારા ગ્રામજનોની સમસ્યાઓ સાંભળશે. કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે કોઈ તકરાર ન થાય માટે વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને મોટા રાજકીય કાર્યક્રમો માટે જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.