અંબાજી મંદિરમાં માઈભક્ત ગુપ્ત રીતે ૧૦૦ ગ્રામનાં સોનાનાં ૧૦ બિસ્કિટ્સ ચૂંદડીમાં વીંટીને મૂકી ગયો

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા નખાતા દાનભેટમાં રૂપિયાને, સોના-ચાંદી ભંડારમાં નાખતા હોય છે. તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે, ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલી સોનાની ૧૦૦ ગ્રામ વાળી ૧૦ લગડીઓ મંદિરને ભેટમાં ચઢાવવામાં આવી હતી.તે લગડીઓ આજે ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીને હાથ લાગી હતી. જોકે જે શ્રદ્ધાળુએ ભંડારમાં આ લગડી નાખી છે, તેને પોતાનું કોઈ જ નામ સરનામું મુકવામાં આવેલ નથી. દાતાએ ગુપ્ત દાન રૂપે આ સોનું મંદિરમાં ચડાવ્યું હતું. અંબાજી મંદિરમાં આજે મંગળવારે ભંડાર ગણાતા આ સોનું જે ૧૦૦ ગ્રામ વાળી સોના ની ૧૦ લગડીઓ જે એક કિલો વજનની થાય છે. જે અંદાજે કિંમત ૭૦થી ૭૫ લાખની થવા જાય છે.

મંદિર ટ્રસ્ટ એ આ સોનું મેળવી પોતાના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના અધિક કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આવા દાતાઓ અવિરતપણે મંદિરને દાન આપી ભંડાર છલકાવતાં હોય છે. જોકે આજે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી. તે પણ ૨૭ લાખને પાર પહોંચી હતી. જે મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો.

Don`t copy text!