આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, દિશા પટાની

નવીદિલ્હી, જેની ઘણા સમયથી ફિલ્મ રસિકો રાહ જોઈ રહ્યા હતા એ સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન ફિલ્મ ‘યોધા’ આવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની લૉન્ચિંગ ઇવેન્ટ ૨૯ ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જેમાં કરણ જોહર, રાશિ ખન્ના અને દિશા પટણી સહિત ફિલ્મની ટીમના લગભગ તમામ સભ્યો હાજર હતા. ઈવેન્ટમાં દિશા પટાનીએ જણાવ્યું કે કેવી રીતે કરણ જોહરનું યાન તેના મોડલિંગના દિવસો દરમિયાન તેનાં પર ગયું હતું.

દિશાએ મૉડેલિંગનાં દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, કારણ કે તે મારા મોડલિંગના દિવસોમાં મારા પર ધ્યાન આપનારાઓમાંનો એક હતો. ત્યારે મારી ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. મને લાગે છે કે જો તેણે મને તે સમયે સ્પોટ કરી ન હોત તો હું આ ક્ષેત્રમાં ન હોત. લોકો તેમના પર ભલે ગમે તેટલા આરોપ લગાવે, પરંતુ તમને જણાવી દઉં કે હું બહારની વ્યક્તિ છું. તેણે મને આ તક આપી.

રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહરે ઇવેન્ટમાં નેપોટીઝમના આરોપો પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘લોકો અમારા પર આરોપ લગાવે છે કે અમે ફક્ત આંતરિક લોકો સાથે કામ કરીએ છીએ, તો શશાંક ખેતાન (ફિલ્મ નિર્માતા) આઉટસાઇડરના બ્રાન્ડ એમ્બેસેડર છે. ‘યોદ્ધા’ના દિગ્દર્શકો સાગર અને પુષ્કર બહારના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જો હવે ફરી કોઈ અમને આના પર ટ્રોલ કરે, તો તેમણે ‘યોદ્ધા’ જોવી જોઈએ, જેનો મુખ્ય અભિનેતા પણ ઔટસાઇડર જ છે.