અમદાવાદમાં પુત્ર પ્રેમમાં અંધ બનેલા પિતાએ ૫ માસની પુત્રીની હત્યા કરી

અમદાવાદ, પુત્ર પ્રેમમા અંધ બનેલા પિતાએ ૫ માસની પુત્રીની હત્યા કરી. પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતા બાળકી દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી. જોકે સારવાર પુરી થઈ ત્યાં સુધીમાં પતિએ પુત્રીની હત્યા નિપજાવી હતી. જે અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે. શહેર કોટડા પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ અંસાર અહેમદ અન્સારી છે.

આરોપીએ પોતાની જ પાંચ માસની દીકરી ઈકરાનુરની મો અને ગળું દબાવી હત્યા નીપજાવી હતી. જોકે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે.

આ બનાવ પર વિગતવાર નજર કરીએ તો, ફરિયાદી કુરેશાબાનુ પોતાની પાંચ માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ આવી હતી. જે સમયે સારવારમાં હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપી હતી. જોકે બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી હતી. જ્યારે ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરી હોસ્પિટલની બહાર આવી ત્યારે તેની બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

તેના પતિને પોલીસે પકડી રાખ્યો હતો. ત્યા સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થતાં. કુરેશાબાનુએ પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી એ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, લગ્ન બાદ પતિને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હતી. પરંતુ દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા અને મારજુડ કરતો હતો. આ સાથે જ પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો જેના કારણે આર્થિક સંકળામણ પણ ઉભી થઈ હતી. ત્યારે સવાલ એ છે કે, દીકરીનો અણગમો એટલી હદે વયો કે પિતા પોતાની જ પુત્રીનો હત્યારો બન્યો.