અમદાવાદ ખાતે હુજજાજ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હજ કમિટીના ચેરમેન હાજી ઈકબાલ સૈયદની શુભેચ્છા મુલાકાત લીધી હતી

અમદાવાદ ખાતે હુજજાજ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ એડવોકેટ રૂહુલઅમીન હઠીલા, સેક્રેટરી શોએબ બકકર, જોઈન્ટ સેક્રેટરી ઈમ્તિયાઝભાઈ સુજેલા, ખજાનચી મહમદશફી ઉમરજી તેમજ હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા હજ કમિટીના ચેરમેન હાજી ઈકબાલ સૈયદની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓએ કરેલ 2024ની સારી કામગીરી બાબતે શુભેચ્છાઓ પાઠવેલ હતી અને હાજી ઓ ને 2025 માં હાલાકી ઓ અને તકલીફો ભોગવવી ના પડે તેના માટે સુચારૂ આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મક્કા મદીનામાં હાજીઓની બીલડીંગ સીલેકશન માટે ગુજરાત માંથી 2 વ્યક્તિઓની હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા સીલેકશન કરવામાં આવે જેના કારણે ગુજરાતના હાજીઓને બીલડીંગમાં રહેવાની જે તકલીફો થાય છે તે ના થાય તેમજ 2025માં હાજી, હજીયાણીને અલગ-અલગ રાખવાની જે વાત છે, તેના માટે હુજજાજ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ દરેક હાજી-હજીયાણીઓને વન ફ્લાઈટ, વન બીલડીંગ, વન ફ્લોર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Don`t copy text!