આગામી 25 તારીખે દાહોદ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

  • દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ કમલમ ખાતે આજે સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ,

આ મીટીંગનું સંચાલન દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા કરવામાં આવ્યું હતું. મીટીંગનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, દાહોદ જિલ્લાની છ એ છ સીટ નો શ્રેય દાહોદ જિલ્લાના છેવાડા સુધીના તમામે તમામ કાર્યકર્તાઓની જીત છે. આ બેઠકનો મુખ્ય હેતુ આવનારી 25 તારીખે દાહોદ જિલ્લામાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ભાર્ગવભાઇ વિજય ઉત્સવમાં સામેલ થવા આવવાના હોય તે અંગેની ચર્ચા તેમજ દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની છ સીટ ઉપર થયેલા વિજય અંગે દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ સ્નેહલ ધરિયા, કનૈયા કિશોરીએ તથા જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે માર્ગદર્શન આપ્યું હતું.

25 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે જે પણ બુથમાં સૌથી વધુ મતો ભારતીય જનતા પાર્ટી મળ્યા છે. એ બુથના કાર્યકર્તાઓને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સન્માનિત કરશે.

ત્યારબાદ વિજેતા ધારાસભ્યોને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી તથા 25 તારીખના કાર્યક્રમને લઈ આ બેઠકમાં જિલ્લા માંથી તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, મહામંત્રી સ્નેહલ ધરિયા તેમજ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ પાંખના હોદ્દેદારો તથા તાલુકા માંથી આવેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.