અદનાન અબ્બાસભાઈ દાહોદવાલાને ખોટા ચેક બાઉન્સ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા

3 સપ્ટેમ્બર, 2024 ના રોજ, પંચમહલ, ગોધરાના મે. 3મિ એડિશનલ સિવિલ જજ અને IMFCની કોર્ટ દ્વારા અદનાન અબ્બાસભાઈ દાહોદવાલાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ દાખલ કરાયેલા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના વકીલ એચ.એ.છત્રીવાલા દ્વારા રજૂ કરેલ દલીલો તેમજ પૂરાવા દ્વારા, તેમને સફળતા પૂર્વક દર્શાવ્યું હતું કે, નેહલબેન ભાવિનભાઈ શાહ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી કરિયાદ નિરાધાર અને ખોટી હતી.

કોર્ટે નોંધ્યું કે વિવાદાસ્પદ ચેક કાયદેસર લેણાં પેટે કે દેવું ચૂકવવા માટે ઇસ્યુ કરવામાં આવ્યા ન હતા. ફરિયાદીના આરોપોનો પુરાવા દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું અને બચાવ પક્ષે NI એક્ટની કલમ 118 અને 139 હેઠળ જવાબદારીની માન્યતાને સફળતાપૂર્વક નકારી કાઢી હતી. વધુમાં, કોર્ટ ફરિયાદીના દાવાઓમાં નોંધપાત્ર વિસંગતતાઓ જોઈ, જેમાં દસ્તાવેજોના ખોટાકરણનો અને બનાવટ નો પણ સમાવેશ થાય છે.

ફરિયાદીના વકીલ એચ.જી.વિરપુરા દાવાઓને સાબિત કરવામાં અસમર્થ રહ્યા હતા. જેના કારણે કેસ ફગાવી દેવામાં આવ્યો. આ ચુકાદો કાનૂની કાર્યવાહી શરૂ કરતા પહેલા દાવાઓની પ્રામાણિકતા તપાસવાના મહત્વ પર ભાર મૂકે છે.

અદનાન અબ્બાસભાઈ દાહોદવાલાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તે ન્યાયના મહાત્વ અને કાનૂની બાબતોમાં યોગ્ય પરિશ્રમની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. કોર્ટનો નિર્ણય ફરિયાદી માટે એક મોટો આઘાત છે અને આ સિદ્ધાંતની પુષ્ટિ કરે છે કે “ખોટા આરોપો સત્ય અને યોગ્ય કાનૂની બચાવ સામે ટકી શકશે નહીં.

Don`t copy text!