આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાડોશી સાથે કેમ સંબંધ રાખવો !- જયશંકર

વોશિગ્ટન,ભારતે ફરી એકવાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ વૈશ્ર્વિક સ્તરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. દક્ષિણ અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર મોટો પ્રહાર કરતા કહ્યું એવા પડોશી સાથે જોડાવું મુશ્કેલ છે જે સીમા પર આતંકવાદી પ્રવૃતિને વધારે છે અને પ્રોત્સાહન આપે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં પનામાના પ્રવાસે છે અને મંગળવારે રાજધાની પનામા સિટીમાં પનામાના વિદેશ મંત્રી જનૈના તેવાને સાથે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન જયશંકર પાકિસ્તાન વિશે વધુ બોલ્યા હતા.

પનામા સમકક્ષ તેવાને સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, પાકિસ્તાન પર વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે કહ્યું કે અમે હંમેશા કહ્યું છે કે તેઓએ સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત નહીં કરવાની તેમની પ્રતિબદ્ધતા પૂરી કરવી પડશે. અમે આશા રાખીએ છીએ કે એક દિવસ અમે તે મુકામ સુધી પહોંચીશું.

આ દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને પનામા વચ્ચે પરસ્પર સહયોગ વધારવા માટે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે પનામામાં ભારતના ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના માટે ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિશ્ર્વમાં ઝડપથી ઉભરી આવી છે.

કોરોના કટોકટી દરમિયાન વિશ્ર્વને રસી પૂરી પાડવા અંગે જયશંકરે કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન અમે મોટાભાગના વિકસિત દેશોને રસી અને દવાઓની ભારતે સપ્લાય કરી છે.

રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર ડૉ.જયશંકરે કહ્યું કે ભારતમાંથી પનામામાં આવવું તેમના માટે ખૂબ જ આનંદની વાત છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ભારત-પનામા પરંપરાગત રીતે ખૂબ નજીકના મિત્રો છે. તેમણે કહ્યું કે બંને દેશોનો વિશ્ર્વ પ્રત્યે સમાન દૃષ્ટિકોણ છે.પ્રેસ કોન્ફરન્સ પહેલા ડૉ.એસ.જયશંકરે પનામાના સિનકો ડે મેયો સ્કાયર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે ટ્વીટ કર્યું કે પનામામાં ભારતીય મૂળના લોકોને મળીને આનંદ થયો. આ લોકો બંને દેશો વચ્ચે સેતુનું કામ કરે છે.