આપ સાંસદ સંજય સિંહને દારુ કૌભાંડમાં જામીન મળતા ૬ મહિના બાદ જેલની બહાર આવશે

નવીદિલ્હી,\ દારુ કૌભાંડમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. કોર્ટે તેમને જામીન આપ્યાં છે. દારુ કૌભાંડમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે.સુપ્રીમ કોર્ટની જજોની બેન્ચે તેમને જામીન આપી દીધા છે. દિલ્હી દારુ કૌભાંડમાં સંજય સિંહ છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ હતા અને હવે તેઓ જેલમાંથી બહાર આવશે અને રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.

સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરલેની બનેલી ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે ઈડીને પૂછ્યું હતું કે સંજય સિંહને હજી જેલમાં કેમ રાખવાની જરૂર છે? સંજયસિંહના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને પૈસાનું પગેરુ પણ મળ્યું નથી. આમ છતાં સંજય સિંહ ૬ મહિનાથી જેલમાં છે.

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી સંજયસિંહની અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સંજયસિંહના વકીલની એ દલીલને સ્વીકારી લીધી હતી કે સંજયસિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની સામે બે કરોડની લાંચ લેવાના આક્ષેપોની તપાસ થઈ શકે છે.

ઈડીએ ગયા વર્ષે ૪ ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં ઈડીએ આપ સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજયસિંહે આ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં કોઈ ભૂમિકા જણાવવામાં આવી નથી. હાઈકોર્ટમાં, તપાસ એજન્સીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સિંહ ૨૦૨૧-૨૨ની એક્સાઈઝ પોલિસી સંબંધિત ફંડને છુપાવવા અને તેનો ઉપયોગ કરવામાં સામેલ છે.