આગામી 22 ફેબ્રુઆરીના રોજ ગોધરા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • નાગરિકો 10 ફેબ્રુઆરી સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી ગોધરા (ગ્રામ્ય) ખાતે અરજીઓ મોકલી શકાશે.

ગોધરા,

ગોધરા (ગ્રામ્ય) તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, માન. મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યકમ તા.રર/02/2023ને ચોથા બુઘવારના રોજ સવારના 11.00 કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. સંબધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી) સિવાયના પ્રશ્ર્નો લેખિતમાં તા.10/02/2023 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી ગોધરા (ગ્રામ્ય)માં મળે તે રીતે રજુ કરવાના રહેશે. અરજી ઉપર તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.10/02/2023 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.

(1) લાંબા સમયના જ પડતર પ્રશ્ર્નો અંગે જ અરજી કરવાની રહેશે.

(2) તાલુકા કક્ષાનો પ્રશ્ર્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.

(3) આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્ર્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક આક્ષેપો સિવાયના પ્રશ્ર્નો હોવા જોઈએ.

(4) આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્ર્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ.

(5) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ મામલતદાર ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.