આદિવાસીના ખોટા પ્રમાણપત્ર આદિવાસી અનામત, રોસ્ટર અને બેકલોગની ભરતી થયેલ હટાવવાની માંગ સાથે મામલતદારને આવેદન

દાહોદ, આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ઘેરાયેલા સંજેલી તાલુકાના આદિવાસી સમાજના મંડળો કે વ્યક્તિગત આદિવાસીઓના નામે આદિવાસી, અનામત, રોસ્ટર અને બેકલોગ વિગેરે ભરતી થયેલ અને હાલમાં ચાલુ છે જેઓને હટાવવાની માંગ સાથે દાહોદ જિલ્લાના સંજેલીના આદિવાસી સમાજના લોકો દ્વારા સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળે છે.

સંજેલીના આદિવાસી સમાજના લોકો દ્વારા સંજેલી મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ગુજરાત રાજ્યમાં આદિવાસીના નામે ખોટા પ્રમાણપત્રો યા સર્ટી મેળવી આદિવાસીને નામે નોકરી યા અન્ય લાભો મેળવે છે. તે બાબતે લાંબા સમયથી આદિવાસી સંગઠનો વારંવાર સરકારને વખતો વખત આ બાબતે ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી તાલુકામાં આદિવાસીના નામે ખોટા પ્રમાણપત્રો સર્ટી દાખલ મેળવીને નોકરીઓ, મંડળો દ્વારા આદિવાસીના નામે અંધેર વહીવટ ચાલે છે જેમાં સરકારી, અર્ધસરકારી, શૈક્ષણણિક સંસ્થાઓમાં આદિવાસીના નામે લાભો મેળવી પોતાના અંગત રોટલા શેકતા હોય છે. આ બાબતે આદિવાસી સમાજના મંડળો કે આદિવાસીઓના નેતાઓ ઉપર કોઈ વિશ્વાસ રહ્યો નથી. સંજેલી તાલુકામાં ખોટા પ્રમાણપત્રો સર્ટી, દાખલા, બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે આદિવાસી બની બેઠેલા ખોટા સર્ટી જેતે જવાબદાર અધિકારીઓ આપી દેવાતાં ખરેખર આદિવાસીની જગ્યા અને આવા બનાવટી સર્ટીવાળા આદિવાસી બનેલ નોકરીઓમાં સ્થાનિક મંડળો તેમજ આદિવાસીઓ જમીનને પડાવવાના કાવાદાવા ઘણા લાંબા સમયથી ચાલી રહ્યાં છે. જેમાં દેખીતી રીતે શંકાસ્પદ જાતિ બતાવી ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કેટલાંક ખરેખર આદિવાસીઓના લાભો પર તરાપ મારી બહુ મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે. જે ખરેખર આદિવાસીઓને અન્યાય થયેલ છે. આ બાબતે વિશ્વેષણ સમિતિઓને આ અગાઉ જાણ કરવા છતાં કોઈ પગલા કે કાર્યવાહી કરવામાં આવેલ નથી અને બહુ દુ:ખની વાત છે. આ મોટા માથાઓ હોવાને નાતે જે બનાવટી દસ્તાવેજોથી આવા કાંડોમાં સંડોવાયેલાની જો તટષ્થ તપાસ થાય તો ધાર્યા કરતાં વધુ ઘણા લાંબા સમયના કૌભાંડો બહાર પડે તેમ છે. જેથી આદિવાસીઓને લગતી તપાસ ઉચ્ચ લેવલે થાય તો ચોક્કસ પરિણામ આવે તેમ હોવાનું જણાવી સંજેલીના આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.