બાલાસિનોર, બાલાસિનોર બાયપાસ પાસેથી પસાર થતો ઈન્દોૈર-અમદાવાદ હાઈવે પર બાલાસિનોરથી ફાગવેલ સુધીમાં 300થી વધુ ખાડા હોવાના પગલે અનેક અકસ્માતો સર્જાયા છે. ત્યારે તંત્ર દ્વારા ખાડા પુરવાનુ નાટક કરી હાલ પરિસ્થિતિ જૈસે થે વૈસી થઈ જતાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોરથી ફાગવેલ 13 કિ.મી.માં પડેલા 300થી વધુ ખાડાઓ હોવાથી તંત્ર દ્વારા 10 દિવસ અગાઉ ખાડા ઉપર થીંગડા મારવાનુ કામકાજ હાથમાં લીધુ હતુ. પરંતુ કામગીરી કર્યાના માત્ર 10 દિવસમાં જ ફરી આ રોડ પર 300થી વધુ ખાડાઓ પડી જવાથી આ માર્ગ પરથી પસાર થતાં પેટના આંતરડા હલી જાય છે. ત્યારે આ માર્ગ પર અનેક ખાડાઓના પગલે અકસ્માતો સર્જાય છે. જેમાં ધણા લોકોએ જીવ પણ ગુમાવ્યા સાથે ધણા ગંભીર પણ થયા હતા. ત્યારે આ ખાડા પુરવાનુ કેટલુ બિલ પાસ કરવામાં આવ્યુ તે પણ ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનુ કોૈભાંડ બહાર આવવાની શકયતાઓ સેવાઈ રહી છે.