શ્રીરામ મંદિરમાં સોનાની પાદુકાઓ મૂકવામાં આવશે; અમદાવાદ તિરૂપતિ મંદિરમાં પૂજા કરાઈ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલી છે.

આ પાદુકાઓને ​​​​​​હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. હાલમાં આ પાદુકાઓને રવિવારે રામેશ્વરધામથી અમદાવાદ લાવવામાં આવી હતી. અહીંથી સોમનાથ જ્યોતિર્લિંગ ધામ દ્વારકાધીશ શહેર અને ત્યાર બાદ બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.

શ્રીચલ્લા શ્રીનિવાસે પણ આ પાદુકાઓ હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે.

અહીં અયોધ્યામાં રામ મંદિરનો ફર્સ્ટ ફ્લોર 80 ટકા તૈયાર થઈ ગયો છે. હવે કલાકારો પથ્થરના ભોંયતળિયાને ઘસવાનું અને થાંભલાને આખરી ઓપ આપી રહ્યા છે. શ્રીરામ મંદિર ટ્રસ્ટ ડિસેમ્બરના અંત સુધીમાં પ્રથમ માળનું ફિનિશિંગ અને બાંધકામ પૂર્ણ કરવાનો દાવો કરી રહ્યું છે. સમયસર બાંધકામ પૂર્ણ કરવા માટે રામ મંદિર સંકુલમાં મજૂરોની સંખ્યા 3200થી વધારીને 3500 કરવામાં આવી છે.

મંદિર નિર્માણ સ્થળે વીવીઆઈપીની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પાછળ ટ્રસ્ટનો હેતુ મંદિર નિર્માણની ગતિ કોઈપણ અવરોધ વિના ચાલુ રાખવાનો છે. L&T અને TAC ના એન્જિનિયરોની દેખરેખ હેઠળ આઠ કલાકની 3 શિફ્ટમાં મંદિરનું નિર્માણ કાર્ય સતત ચાલી રહ્યું છે.

અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયે મેરીલેન્ડના ફ્રેડરિક સિટીથી વોશિંગ્ટન ડીસી સુધી કાર રેલીનું આયોજન કર્યું હતું. આ સાથે અહીં એક મહિના સુધી શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સુધી ચાલનારા ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ ભક્તો રેલી માટે અયોધ્યાના શ્રી ભક્ત અંજનેય મંદિરમાં એકઠા થયા હતા.