દાહોદ જીલ્લામાં સસ્તા અનાજની 3 દુકાનો સસ્પેન્ડ

દાહોદ, દાહોદ જીલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોની જીલ્લામાં આકસ્મિક તપાસણી દરમ્યાન દાહોદ તાલુકાના ખરોદા ગામે આવેલ ભાભોર લલીતકુમાર ખુમસીંગની દુકાનમાં મામલતદાર દાહોદ ઘ્વારા તપાસણી હાથ ધરવામાં આવતા મળી આવેલ અનાજના જથ્થામાં 2408 કિ.ગ્રા. ઘઉં તથા 2540 કિ.ગ્રા. ચોખા વજનની ઘટ ના આધારે હાલ દુકાન 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તથા ફતેપુરા તાલુકાની મોટીરેલપુર્વ ખાતે આવેલ જે.પી.કલાલ ઘ્વારા સંચાલીત દુકાનમાં અનાજના જથ્થામાં ઘઉંમાં- 73.500 કિ.ગ્રા.ઘટ તથા 1900 કિ.ગ્રા. વધ તથા ચોખામાં44.500 કિ.ગ્રા.ઘટ તથા 2450 કિ.ગ્રા.વધ મળી આવતા 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તથા ગરબાડા તાલુકાના નીમચ ગામે આવેલ અમલીયાર ભરતભાઈ નાનાભાઈ ઘ્વારા સંચાલીત દુકાનમાં અનાજના જથ્થામાં 526 કિ.ગ્રા. ઘઉ તથા 647 કિ.ગ્રા. ચોખા વજનની ઘટ મળી આવતા 60 દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે. સસ્પેન્ડ થયેલ દુકાનોના આગામી દિવસમાં સુનાવણી રાખી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.