ધોધંબાના વાડીનાથ ગામે 35 વર્ષીય યુવાન 16 નવેમ્બરથી ગુમ થતાં ફરિયાદ

ધોધંબા, ધોધંબા તાલુકાના વાડીનાથ ગામે રહેતા 35 વર્ષીય યુવાન ધરેથી 16 નવેમ્બરના રોજ પત્નીને ખેતરમાંં જવાનું કહી નિકળ્યા બાદ ગુમ થયેલ હોય આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના વાડીનાથ ગામે રાજપૂત ફળીયામાં રહેતા હરીશકુમાર દલપતભાઇ પરમાર ઉ.વ.35 જે તા. 16 નવેમ્બરના રોજ પોતાના ધરે પત્નીને ખેતરમાં જવાનું કહીને નિકળેલ હોય ત્યારબાદ કયાંક ગુમ થયેલ છે. ગુમ થનાર યુવાન ગુલાબી શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ છે. ગુજરાતી, હિન્દી ભાષા જાણે છે. ગુમ થયેલ 35 વર્ષીય યુવાન અંગે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.