બાલાસિનોરના જેઠોલી ખાતે તમાકુ ગોડાઉનમાં આગ લાગી : તમાકુ બળીને ખાખ થઈ

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે તમાકુના ગોડાઉનમાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. સાથે વીજ કર્મીઓ પણ દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામ ખાતે પટેલ અશ્વિનભાઈ ભગવાનદાસના તમાકુના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક ભળભળ તમાકુમાં આગ લાગતા આસપાસના ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. જોકે, તમાકુના ભરેલા અનેક બારદાનો ખસેડી લેવામાં આવ્યા હતા. જ્યારે ભારે સંખ્યામાં તમાકુ બળીને ખાખ થઈ ગયું હતું. સમગ્ર જાણ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજકર્મીઓ ઘટના સ્થળે દોડી આવી સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.