પંચમહાલ કરણીસેના દ્વારા સુખદેવસિંહના હત્યારાઓને કડક અને ફાંસીની સજા અપાય તેવી માંગ સાથે આવેદન આપ્યું

શહેરા,ગોધરા જિલ્લા કલેકટર કચેરી ખાતે ક્ષત્રિય કરણી સેના પરિવારના જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ જશવંતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં રાજસ્થાનમાં થયેલ કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યારાઓને કડકમાં કડક સજા સાથે ફાંસીની સજા આપવામાં આવે એ માટે આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. જિલ્લા કરણી સેના પરિવાર દ્વારા હત્યા થયેલ સુખદેવસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ આવેદનપત્ર આપવા કરણી સેનાના સંયોજક ગુરૂરાજસિંહ ચૌહાણ, જગદીશસિંહ પરમાર, જયેન્દ્રસિંહ સોલંકી, તેજેન્દ્રસિંહ પઢિયાર, નિર્મલસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ ભુપેન્દ્રસિંહ ઠાકોર અને રવીન્દ્રસિંહ ગોહિલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.