પાકિસ્તાનમાં બૌદ્ધ મંદિરમાંથી ૨ હજાર વર્ષ જૂનો દુર્લભ ખજાનો મળ્યો !

ઇસ્લામાબાદ, આપણી ધરતી પર મનુષ્ય દ્વારા દફનાવવામાં આવેલા એવા ઘણા ખજાના છે, જે ઘણીવાર ખોદકામ દરમિયાન મળી આવે છે. આ ખજાનો ક્યારેક જમીન પર કે દરિયામાં ડૂબી જાય છે અને જ્યારે તેની શોધ કરીને બહાર કાઢવામાં આવે છે અને તેમાથી કિંમતી હીરા જ મળે છે. હાલમાં એક ખજાનાની લોકોમાં ચર્ચામાં છે, જ્યાં કુશાણ કાળનો ખજાનો લોકોની સામે આવ્યો છે.

આ મામલો પાકિસ્તાનનો છે. અહીં ૨૦૦૦ વર્ષ જૂના સિક્કાઓનો ખૂબ જ દુર્લભ ભંડાર મળી આવ્યો છે. આ ભંડારમાં મોટાભાગના સિક્કા તાંબાના છે, જે એક બૌદ્ધ મંદિરના ખંડેરમાંથી મળી આવ્યા છે. આ ખજાનાને લઈને એક રિપોર્ટ શેર કર્યો છે. તે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનમાં મોહેંજો-દારોના વિશાળ અવશેષો વચ્ચે સ્થિત હોવાનું કહેવાય છે, જે લગભગ ૨૬૦૦ ઈ.સ પૂર્વનો છે.

પુરાતત્વવિદ્ અને માર્ગદર્શક શેખ જાવેદ અલી સિંધીએ આ ખજાના વિશે જણાવ્યું કે, આ ખજાનો મોહેંજોદારોના પતન બાદ લગભગ ૧૬૦૦ વર્ષનો છે. જે બાદ ખંડેર પર સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. શેખ જાવેદ પણ તે ટીમનો એક ભાગ છે જેને ખોદકામ દરમિયાન આ સિક્કા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મળી આવેલા સિક્કાઓનો રંગ સંપૂર્ણપણે લીલો છે કારણ કે હવાના સંપર્કમાં આવ્યા બાદ તાંબુ બગડી જાય છે. સદીઓથી દટાયેલા હોવાને કારણે આ સિક્કા ગોળાકાર ઢગલામાં ફેરવાઈ ગયા છે. આ ખજાનાના વજન અંગે પુરાતત્વવિદોએ જણાવ્યું કે તેનું વજન લગભગ ૫.૫ કિલો છે અને આ ખજાનાને જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.