દાહોદ જીલ્લા આચાર્ય સંઘ ની નવી ટીમ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીની શુભેચ્છા મુલાકાત કરી

દાહોદ,જીલ્લાના નવા ચૂંટાયેલા આચાર્ય સંચાલક મંડળ ના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં નવા હોદ્દેદારોએ કચેરી સાથે રહીને પ્રશ્ર્નો ઉકેલવામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

જીલ્લા શિક્ષણ અધિકારી સુરેશભાઈ મેડા તેઓની સાથે મિટિંગની ચર્ચામાં જણાવ્યું હતું કે છ મહિનાના કાર્યકાળમાં ઉચ્ચતર પગાર ધોરણની તમામ ફાઈલો અંદાજીત 1315 નિકાલ આંશિક ઉપાડ ના 87 દરખાસ્તનો નિકાલ છેલ્લા ત્રણ વર્ષમાં નિકાલ ના થયો હોય તેવી 200થી વધુ સીપીએફ ફાઈલોનો ગાંધીનગર મોકલી નિકાલ કરેલ છે. વિદ્યાદીપ યોજના અને ઉચ્ચક નાણાકીય સહાયની તમામ દરખાસ્તોનો હકારાત્મક ઉકેલ લાવ્યા છે તદુપરાંત કચેરીમાં ઘણા સમયથી પડતર મોટા ભાગના પ્રકરણો નિકાલ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પગારથી વંચિત તમામ પ્રવાસી શિક્ષકોના પગાર ચૂકવી તમામની દિવાળી સુધારી હોવાનું જાણવા મળેલ છે. 2019 થી આખરી ઉપાડના પડતર કેસો બાબતે એલ.એફ.કચેરી સાથે સંકલન સાધી સકારાત્મક કેસો મંજૂર કરાવી ચૂકવણીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે સંચાલક મંડળ તરફથી પણ તેઓ ને ખાસ શુભેચ્છા પાઠવવામાં આવી હતી કારણ કે નિભાવ ગ્રાન્ટ ના બે હપ્તા એક સાથે મળતા સંચાલક મંડળને પણ રાહત ની અનુભૂતિ થઈ છે.

મિટિંગમાં આગામી સમયમાં યોજનાર “સાંસદ કલા ઉત્સવ”અને “સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ”ની વધુમાં વધુ એન્ટ્રી થાય તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લે તેમ જણાવ્યું હતું. તેમાં તમામ આચાર્ય ઓ એ પૂરતા સહયોગની ખાતરી આપી હતી. પરિણામ સુધારણાની દિશામાં જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ના લક્ષ મુજબ તમામ આચાર્યઓ અને હોદ્દેદાર ઓએ બોર્ડની પરીક્ષામાં દાહોદ જીલ્લો 100 ટકા પરિણામના પંથે આગળ વધે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

આગામી સમયમાં આચાર્ય નવ સંસ્કાર બેઠક તથા “પરિણામ સુધારણા એક સામાજીક અભિયાન” અંતર્ગત નિવૃત્ત તમામ આચાર્ય શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોનો સહયોગ લઈને પરિણામ સુધારણામાં વધુ શું કરી શકાય તે માટેની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી. આચાર્ય સંઘના પ્રમુખ રમેશભાઈ સંગાડા તથા તમામ હોદ્દેદારોએ કચેરી દ્વારા કરેલ કામગીરી બિરદાવી પ્રશંસા કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.