
- દેવગઢ બારીઆ માર્કેટયાડમાં આવેલ ખેતીવાડી સમિતિની ઓફીસ ખાતે ગંગા સ્વરૂપ યોજના હેઠળ 275 જેટલી વિધવા બહેનોને ચણાના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદ, રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ચણા 25 કિલ્લો, ટ્રાયકોડરમા પાવડર 1 કિલ્લો, એન.પી.કે. લિકવિડ 500 ગ્રામ, પાક સંરક્ષણ દવા 500 ગ્રામ સહિત ચણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં એક કીટની કિ.રૂ. 2800/- જેવા 275 કીટનું વિતરણ કરવામાં આવ્યું અને વધુમાં મંત્રી દ્વારા આમ આદમી પાર્ટીને પણ આડે હાથે લીધી હતી. તેમની આગવી છટામાં જણાવ્યુ હતું કે, આપણી મોદી સરકાર વાયદા નથી કરતી બહેનોને પગભર બનવવાનુ કામ કરે છે. નહી કે, આમ આદમી પાર્ટીના ખોટા વાયદા જેવા કે, અગાઉ આમ આદમી દ્વારા ગેરેન્ટી કાર્ડ અપાયા હતા. એમા તમને કશું મળ્યું? એ ખાલી વાયદાવાળી સરકાર છે. એમના ચક્કરમા ના પડશો અને આપણને સહાય કરનારી ભારતીય જનતા પાર્ટીના પડખે રહો તેવું મંત્રી બચુભાઈ ખાબડે પોતાના ઉદ્દભોધનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા ઉપપ્રમુખ, દેવગઢ બારીયા પાર્ટી પ્રમુખ, જીલ્લા સભ્યો, તાલુકા સભ્યો, ખેતીવાડી અધિકારી, પાર્ટીના હોદ્દેદારો સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.