સ્વચ્છતા હી સેવા: દાહોદ જીલ્લો: દાહોદ જીલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

દાહોદ, દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

દાહોદ જીલ્લામાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાલમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે દાહોદ જીલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાયબ માહિતી નિયામક સુરેન્દ્ર બળેવીયા દેખરેખ અને માર્ગદર્શનમાં કચેરીના તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોતરાયા હતા. ઓફિસના ફર્નિચર, વિવિધ ટેબલ, ખુરશી, પંખા, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી. તેમજ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું હતું.

દાહોદ માહિતી કચેરીમાં હાથ ધરાયેલ સ્વચ્છતા કામગીરીમાં સહાયક અધિક્ષક એમ.બી.ભોઇ, માહિતી મદદનીશ રણજીત ડામોર, જુનિયર ક્લાર્ક ડી.એસ.પરમાર, સહિત કર્મચારીઓ સફાઈમાં જોડાયા હતા.