
એકાપુલ્કો, ઓટિસ વાવાઝોડાએ મેક્સિકોમાં તબાહી મચાવી છે. આ તોફાન એટલું ખતરનાક બની ગયું છે કે તેણે ઓછામાં ઓછા ૪૩ લોકોના જીવ લીધા છે. ગુરેરોના ગવર્નર એવલિન સાલ્ગાડો પિનેડાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે આવેલા વાવાઝોડાને કારણે ગુરેરા રાજ્યમાં લગભગ ૪૩ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ પુરૂષો અને ૩૩ મહિલાઓનો સમાવેશ થાય છે. સાથે જ અધિકારીઓની બુદ્ધિમત્તાના કારણે ૧૦ લોકોના જીવ બચાવી શકાયા.
પેસિફિક મહાસાગરના કિનારે આવેલા મેક્સિકોના એકાપુલ્કોમાં ગયા બુધવારે ૧૬૫ માઈલ પ્રતિ કલાક (૨૬૬ કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાથી પ્રવાસન સ્થળ ખંડેર થઈ ગયું હતું. તોફાનના કારણે ૨૨૦,૦૩૫ મકાનો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત વિસ્તારની ૮૦ ટકા હોટલોને નુક્સાન થયું છે.
કેટેગરી પાંચના વાવાઝોડા તરીકે ઓટિસે વિનાશ સર્જ્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે લોકોના ઘર, બહાર પાર્ક કરેલા વાહનો, ઈલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુક્સાન પહોંચાડ્યું હતું. જેના કારણે માર્ગ અને હવાઈ સંપર્ક ખોરવાઈ ગયો છે. લગભગ નવ લાખની વસ્તી ધરાવતું શહેર એકાપુલ્કો તોફાનના કારણે તબાહ થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ એક હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા છે. લોકોએ પૂરની જાણ કરી છે. તે જ સમયે, અન્ય હોસ્પિટલમાં ઇલેક્ટ્રોમિકેનિકલ સાધનો અને ઔષધીય ગેસના સપ્લાયને અસર થઈ હતી. વૃક્ષો અને ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મેક્સિકોના વાવાઝોડાની ચેતવણી પ્રણાલીએ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ૨૭ સેન્સરને નુક્સાન પહોંચાડ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એકાપુલ્કો ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ નુક્સાન થયું છે. જોકે, હવે કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.