વંદે ભારત તથા ભાવનગર અને જામનગરથી ઉપડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદ, ગુજરાતમાં રેલવે નેટવર્ક વધુ ઝડપી સુવિધા આપતુ થયુ છે. વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનની સુવિધાઓને લઈ મુસાફરી સરળ અને સલામતી સાથે ઝડપી પ્રાપ્ત થવા લાગી છે. જેમાં હજુ પણ અપડેટ સાથે સુધારા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મુસાફરોને માટે મહત્વની ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને માટે તેમના અનુરુપતાને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં પણ અન્ય બે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. તેમજ ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જે બે ટ્રેનના વિરમગામ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

થોડાક સમય અગાઉ જ જામનગર અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. જેના શરુ થવાથી સૌરાષ્ટ્રને રેલવેએ મોટી ભેટ આપ્યાની ખુશીઓનો માહોલ છવાયો છે. હવે લોકોની સાનુકૂળતાને ધ્યાને રાખીને વંદે ભારત ટ્રેનના સમયમાં આશીંક ફેરફાર કરવામાં આવ્યો છે.