ગોધરાના અસારડી ગામની સીમમાં નર્મદા કેનાલમાંં બાકરોલ સીમડીયાની મુવાડીના યુવાનની હત્યા કરી પુરાવાનો નાશ કરવા ફેંકી ગુન્હો કર્યો

ગોધરા,ગોધરા તાલુકાના અસારડી ગામની સીમ નર્મદા કેનાલમાં ફરિયાદીના છોકરાની કોઈ અજાણ્યા ઈસમે ગળું દબાવી હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહને નર્મદા કેનાલમાં નાખી દઈ ગુન્હો કર્યાની ફરિયાદ કાંંકણપુર પોલીસ મથકે નોંધાયું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બાકરોલ સમડીયાની મુવાડી ગામે રહેતા અશોકસિંહ ગોહિલના પુત્ર બલરાજસિંહનુંં તા.2 ઓકટોમ્બરથી 4 ઓકટોમ્બર વચ્ચે કોઇ અજાણ્યા ઈસમે કોઈ અગમ્યકારોણસર ગળું દબાવી હત્યા કરી હત્યાના પુરાવાનો નાશ કરવા માટે બલરાજસિંહના મૃતદેહને અસારડી ગામની સીમમાં નર્મદા મુખ્ય કેનાલમાં ફેંંકી દઈને ગુન્હો કર્યાની ફરિયાદ કાંંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી.