ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દ્વારા સ્થાનિક સ્વરાજમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કરાઈ

દાહોદ, તારીખ 29/08/2023 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ભાજપાના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કરાઇ ઓબીસીને 27 % અનામતની જાહેરાત કરતા રાજ્યમાં ખુશીનો માહોલ.

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આજે OBCને 27% અનામતની જાહેરાત તેમજ 400 રૂપિયા ગેસ બોટલમાં ઘટાડવાની પણ જાહેરાત કરતા તેની ઉજવણીના ભાગરૂપે સાંજના 5:30 કલાકે નગરપાલિકા ચોક ખાતે દાહોદ નગરમાં રહેતા ભાજપાના રાષ્ટ્રીય, પ્રદેશ, જીલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ તથા નગરપાલિકા લડેલા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ વગાડી, આતિશબાજી કરી અને ફટાકડા ફોડી નગર પાલિકા ચોકમાં ધામ ધૂમ થી ઉજવણી કરી હતી.