બાલાસિનોર ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

બાલાસિનોર,નડિયાદ વિભાકિય નિયામક સી.ડી.પટેલની સૂચના અને માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર ડેપો અટર્ગત આવતા સેવાલિયા અને વીરપુર ડેપોમાં મેનેજર દ્વારા ડેપોમાં થયેલ ઠેર ઠેર ગંદકીના કારણે ડેપો મેનેજર કે.આર.પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક સુપર વાઈઝર અને વર્કશોપ સુપરવાઈઝરની મદદથી ડેપોમાં થયેલ ગંદકી સાફ કરવામાં આવી હતી અને ગંદકી કરનાર વ્યક્તિને દંડની જોગવાઈ પણ નક્કી કરવામાં આવી હતી.