ભારત-યુંએઈ વચ્ચે પહેલી વખત રૂપિયામાં વ્યવહાર:એક મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદીની ચૂકવણી કરી

ભારત અને UAE વચ્ચે પ્રથમ વખત સ્થાનિક ચલણમાં ટ્રાન્ઝેક્શન થયું છે. ભારતે 10 લાખ બેરલ તેલ માટે રૂપિયા અને UAEની કરન્સી દિરહામમાં ચૂકવણી કરી છે. UAEમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સોદa સોમવારે UAEની અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વચ્ચે થયા હોવાના અહેવાલ છે.

UAEથી આયાત કરવામાં આવતું તેલ ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. UAEએ પાંચમો સૌથી મોટો દેશ છે જ્યાંથી ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પૂરી કરે છે. બીજી તરફ આટલો મોટો દેશ છે જ્યાંથી LNG અને LPGની આયાત થાય છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં ચુકવણી ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવાથી ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઓછો થાય છે અને સમયની બચત થાય છે. ભારત અને UAE વચ્ચે 15 જુલાઈ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનની હાજરીમાં લોકલ કરન્સી સેટલમેન્ટ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અગાઉ યુએઈથી આયાત થતા તેલની ચૂકવણી ડોલરમાં થતી હતી. હવે આવા વ્યવહારો માટે રૂપિયા અને દિરહામનો ઉપયોગ ડી-ડોલરાઇઝેશન તરીકે જોવામાં આવી રહ્યો છે એટલે કે સ્થિતિ અને ડોલરનો ઉપયોગ ઘટ્યો છે. IMFએ પોતાના એક રિપોર્ટમાં આ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.

UAEમાં ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ધાતુઓ, પથ્થરો, જેમ્સ અને જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેમ કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોનો સમાવેશ થાય છે.

UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. જેમાં UAEએ ભારતમાંથી 2 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે.