ભારતે નિકાસ પ્રતિબંધ મુક્તા વિશ્ર્વસ્તરે ચોખાના ભાવ ૧૨ વર્ષની ઉંચાઈએ પહોંચ્યા.

નવીદિલ્હી,
ભારતમાં ઘરઆંગણે ભાવોને કાબુમાં રાખવા માટે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકાયાને પગલે વિશ્ર્વબજારમાં ચોખાના ભાવ ૧૨ વર્ષની ઉંચાઈએ પહોંચી ગયા છે જયારે વાષક ભાવ વધારો ૨૪.૪ ટકાનો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ચોખાનો ભાવાંક જુલાઈમાં ૧૨૯.૭ પોઈન્ટ પર પહોંચ્યો છે. અને ૨૦૧૧ પછીની સર્વાધિક ઉંચાઈએ પહોંચ્યો છે.

એક વર્ષમાં આ ભાવાંક ૧૯.૬ પોઈન્ટ ઉંચકાયો છે. ભારતીય ઉપખંડમાં જ ઉત્પન્ન થતા ચોખામાં વાષક ધોરણે ભાવ વધારો તેનાથી પણ વધુ છે અને તે વર્ષ દરમ્યાન ૨૪.૪ ટકાના વધારા સાથે ૧૩૫.૪ પોઈન્ટની ઊંચાઈએ પહોંચ્યો છે.
ભારત સરકારે ગત ૨૦ મી જુલાઈએ તમામ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દીધો હતો ૨૦૨૨-૨૩ માં ભારતમાંથી કુલ ૨૨.૩૫ મીલીયન ટનની ધાન્ય નિકાસ થઈ હતી તેમાંથી બાસમતી ચોખાની નિકાસ છુટ છે જે ગત વર્ષે ૪.૫૬ મીલીયન ટનની હતી.

Don`t copy text!