શહેરાના કાંકરી પાસે બ્રિજના પિલ્લર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત

શહેરા, શહેરા કાંકરી પાસે પસાર થતાં સ્ટેટ હાઇવે ઉપર બ્રિજ ના પિલ્લર સાથે બાઈક અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અહીં અનેક વખત અકસ્માત સજાતા હોય ત્યારે જવાબદાર તંત્ર દ્વારા બ્રિજ પહેલા બમ્પ મૂકવામાં આવે તે જરૂરી છે.

શહેરા થી અણીયાદ ગામ તરફ જતાં માર્ગ ઉપર કાંકરી પાસે ના બ્રિજ પિલ્લર સાથે બાઈક અથડાતા બાઈક ચાલે ને શરીરે ગંભીર જ થતા મોત નિપજ્યું હતું. બનેલા બનાવને લઈને સ્થળ પર ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો આવી જતા મરણ ગયેલ વ્યક્તિની ઓળખ થઈ હતી. ખરેડિયા ગામનાં 48 વર્ષીય અનિલ પરમારનું મોત થતા તેના પરિવારજનોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા સ્થળ પર આવી ગયા હતા. મરણ બાઈક ચાલકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. આ બ્રિજ ઉપર અનેક વખત અકસ્માતો બનતા હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા અહીં બમ્પ મૂકવામાં આવે તેમજ સફેદ પટ્ટા દુરથી વાહચા લોકોને દેખાય તેવા દોરવામાં આવે અને ચિન્હો વાળા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ પણ ઉઠી છે. હાલ તો ફરી એક વખત આ બ્રિજ ઉપર દુ:ખદ ઘટના બનતા એક પરિવારે ઘરનો મોભી ગુમાવવા સાથે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.