સ્વામી વિવેકાનંદ વન અભિયાન હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના સંયોજક દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ઝાલોદ, તા.28/07/2023ના રોજ “વિશ્ર્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે” ગુજરાત રાજ્ય યુવા બોર્ડના દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના સંયોજક અભય ભાટીયા દ્વારા ઝાલોદ નગરની મ.ચુ.કોઠારી પ્રા.શાળા તથા જે.વી.શેઠ મિડલ સ્કૂલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં અશ્ર્વગંધઆ, કુંવારપાઠું, રામ અને શ્યામ તુલસી, અરડૂસી, અજમો, ફુદીનો, કેવડો, બિલીપત્ર, પાનફુટી જેવી ઔષધીય વનસ્પતિઓ રોપવામાં આવી.

આ કાર્યક્રમમાં કેળવણી મંડળ ઝાલોદના મંત્રી પ્રફુલભાઈ પટેલ, ઉપપ્રમુખ દિનેશભાઈ પંચાલ, મ.ચુ.કોઠારી પ્રા.શાળાના આચાર્યા શ્રીમતી વસુંધરાબેન પટેલ, જે.વી. શેઠ મિડલ સ્કૂલના આચાર્યા, શ્રીમતી હર્ષાબેન પટેલ શિક્ષકો અનુપભાઈ પટેલ, પારૂલબેન પટેલ તથા વાલીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં મ.ચુ.કોઠારી પ્રા.શાળાના આચાર્યા શ્રીમતી વસુંધરાબેન પટેલે કાર્યક્રમને સફળ બનાવવા સુંદર સહકાર આપ્યો હતો.