કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું

કાંકણપુર, ગોધરા તાલુકાની શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ અને શ્રીમતિ એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત N.S.S. વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કોલેજના N.S.S. પોગ્રામ ઓફિસર ડો.સાબતસિંહ એલ. પટેલ દ્વારા કરવામાં આવ્યું. NSS ના 50 જેટલા સ્વયંસેવકો દ્વારા કોલેજ કેમ્પસમાં 75 વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ અને તેમના મહત્વ સમજાવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમા NSS ના સ્વયંસેવકો ઉપરાંત કોલેજના તંત્રી મુકેશભાઈ શાહ તેમજ કોલેજના આચાર્ય જગદીશભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફમિત્રો દ્વારા વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરીને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.