વિરપુરના કોયડમથી અમદાવાદ જતી એસ.ટી.બસના બે ટાયરો નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવ

વિરપુર, વિરપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ અરવલ્લીના સાઠંબા પાસે એસ.ટી.બસના ચાલુ બસે ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વિરપુર તાલુકાના કોયડમથી અમદાવાદ જતી એસ.ટી.બસ સવારે 9 વાગ્યાના અરસામાં બાયડના સાઠંબા પાસેથી પસાર થતી હતી તે દરમિયાન એકાએક બસના બે ટાયર ચાલુ બસે નીકળી ગયા હતા. જેને કારણે બસ 100 મીટર સુધી વગર ટાયરે ઢસડાઈ હતી. જોકે સદ્નસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બનાવમાં એસ.ટી.વિભાગની બેદરકારી સામે આવી છે. સમયસર એસ.ટી.બસના સ્પેરપાર્ટ બદલવામાં નથી આવતા તેમજ બસની સર્વિસ કરાતી નથી જેના કારણે વારંવાર આ ધટના બનતી રહે છે.