દાહોદ જીલ્લા વિજ્ઞાન મંડળની નવી કારોબારીના હોદ્દેદારોએ ધો.10 અને ધો.12 પરિણામ માટે વિચારણા કરી

દાહોદ, તા.25/7/23 ના રોજ દાહોદ જીલ્લા વિજ્ઞાન મંડળ ની નવી કારોબારી ના હોદ્દેદારો એ સુરેશભાઈ મેડા, દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી ની શુભેચ્છા મુલાકાત લીધી. જેમાં વિજ્ઞાન મંડળ ના સલાહકાર કે ડી લીમ્બાચીયા મહામંત્રી રાજેશભાઈ જાદવ. ઉપપ્રમુખ સી બી પટેલ અને સહમંત્રી રીપલભાઈ અગ્રવાલ એ સાથે પરામર્શ કરીને જીલ્લાનું ધોરણ 10 અને 12 નું પરિણામ સુધારણા માટેનું આયોજન કરવા માટેની વિચારણા કરવામાં આવી જેમાં જીલ્લા શિક્ષણ નિરીક્ષક રાકેશભાઈ ભોકણહાજર રહ્યા હતા.