સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારની સ્ટેટ વિભાગના ગર્વમેન્ટ કવાર્ટસ જર્જરીત છતાં પાલિકાનું પાણી કનેકશન ચાલુ રહેતાંં પાણીનો બગાડ

સંતરામપુર, સંંતરામપુરના પ્રતાપુરા વિસ્તારમાં સ્ટેટ વિભાગના ગવર્મેન્ટ ક્વાર્ટસ જર્જરી જાહેર કર્યા હતા. પરંતુ આ કવાર્ટસના પાણીના કનેકશન ચાલુ રાખવામાં આવતાં 24 કલાક પાણીનો વ્યર્થ થઈ રહ્યો છે.

સતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં સ્ટેટ આર એન્ડ બી વિભાગના મોટાભાગના સરકારી કવાર્ટસ જર્જરીત હાલતમાં છે. જેને સ્ટેટ આર એન્ડ બી દ્વારા જર્જરીત જાહેર કરીને જોખમી ઈમારતના બોર્ડ માર્યા છે અને આસપાસ ફેન્સીંગ કરીને અંદર પ્રવેશ કરવો નહિ. તેવા બોર્ડ પણ મારવામાં આવ્યા છે. આ જર્જરીત કવાર્ટસમાંં પાલિકાના પાણીના કનેકશન કાપવામાં આવ્યા નથી. જેને લઈ 24 કલાક પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે. જ્યારે સ્ટેટ આર એન્ડ બી દ્વારા સરકારી કવાર્ટસને જર્જરીત જાહેર કરવામાં આવ્યા હોય તેમ છતાં તંત્રએ બેદરકારી રાખીને પાણીના કનેકશન ચાલુ રાખવામાં આવ્યા છે. પરિણામે પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર તાત્કાલીક જોડાણ બંધ કરી પાણીનો વ્યય થતો બંધ કરે તે જરૂરી છે.