દે.બારીયાના સંજય પરમાર અને તેમની પત્ની દ્વારા મિલ્કત ભાડે ભાડુ નહિ આપી મિલ્કત ખાલી નહિ કરતાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

દાહોદ,દેવગઢ બારીઆ નગરમાં 64 દુકાનો સામે વિવિધ અરજીને ફરિયાદ દાખલ કરી પોતાને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સમજતા દેવગઢ બારીયાના સંજય જવાહર પરમાર અને તેની પત્ની વનિતા સંજય પરમાર સામે મિલકત ભાડે રાખી છેલ્લા કેટલાક સમયથી ભાડું નહી આપી ખાલી નહી કરતા ગુજરાત સરકારનો નવો કાયદો અમલમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરવામાં આવી આ અરજી કરતા દેવગઢબારિયા પોલીસ દ્વારા અટકાયતી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દેવગઢ બારીઆ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ચકચાર અને વિવાદવાળું 64 દુકાનોનું શોપિંગ સેન્ટર એવું સરકારી જમીન અને ખાનગી જમીનનું વિવાદ શોપિંગ સેન્ટરમાં અરજી કરનાર અને પોતાને સત્યવાદી કહી ગૌસેવકનું બિડું લઈને આર.ટી.આઈ. ઓની અરજી કરતા સંજય જવાહર પરમાર અને તેની પત્ની વનિતા સંજય પરમાર 2020 મુજબ દેવગઢ બારીયા પાલિકા પૂર્વ પ્રમુખના પતિ નીલ રશ્મિકાંત સોની દ્વારા દાખલ કરવામાં આવેલ. જેમાં દેવગઢ બારિયા સુથારવાડા વિસ્તારમાં આવેલ સીટી સર્વે નંબર 1661નું મકાન તેમના પિતા રશ્મિકાંત રસિકલાલ સોની અને નીલ રશ્મિકાંત સોનીના સંયુક્ત નામે ચાલે છે. આ મિલકતમાં ઉપરના માળે તેઓના મધરનું બ્યુટી પાર્લર ચાલતું હતું. તેઓના માતૃનો આકસ્મિક મૃત્યુ થતાં આ ચાલુ બ્યુટી પાર્લર માલ સામાન ફર્નિચર સાથે સંજયભાઈ જવાહરભાઈ પરમાર તથા વનિતાબેન સંજય પરમારને એક સારા વ્યક્તિ તરીકે ભાડે આપ્યું હતું, પરંતુ વર્ષ 2018થી તેઓની દાનત બગડતા છેલ્લા કેટલાય મહિનાથી ભાડું પણ આપ્યું નથી અને ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલા હોય જે નગરપાલિકા દ્વારા આ જર્જરિત મિલકત ઉતારવાની નોટિસ મળતા મકાન માલિકે તેઓને રજૂઆત કરી કે ભાઈ તમે આ મકાન ખાલી કરી દો પરંતુ તેઓ ખાલી ન કરતા આ અરજી નીલ સોની દ્વારા દાખલ કરવામાં આવેલ જે અરજી આધારે દેવગઢ બારીયા મામલતદાર કચેરી દ્વારા સ્થળનો જવાબ પંચકયાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યારે પોલીસ દ્વારા પણ તેઓના અટકાયતી પગલાં લઈ મામલતદાર ખાતે જામીન માટે રજૂ કરાયા હતા. આ દેવગઢ બારીઆમાં પોતે રાજકીય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ગૌરક્ષક અને આર.ટી.આઈ. કાર્યકર્તા તરીકે લોકોને અરજી કરવાની ધમકી આપતા સંજય જવાહર પરમાર સામે અરજી દાખલ કરતા દેવગઢ બારીઆ નગરમાં ટોક ઓફ ધી ટાઉન મુદ્દો બન્યો છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર કેટલો ઝડપી ર્નિણય લે તેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.