ઝાલોદથી વરાડુ થઈ સંતરામપુર જતી બસ શરૂ કરવા માંગ

સુખસર, ફતેપુરા તાલુકાના નાના શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતી એસ.ટી.બસ સુવિધાઓ બંધ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર ખાનગી ટુ-ફોર વ્હિલર વાહનોએ પુરેપુરો કબ્જો જમાવી લીધો છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં લોડિંગ વાહનો દ્વારા મુસાફરો અને જવાબદાર તંત્રે આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે લાગતા વળગતા તંત્રો સહિત સરકાર દ્વારા ઘ્યાન આપી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી ગ્રામ્ય વિસ્તારોમાં માંગ ઉઠવા પામી છે.

ઝાલોદ તાલુકાના ગરાડુથી ફતેપુરા તાલુકાના ધાટાવાડા, કાળિયા, નાના બોરીદા, માનવાળા બોરીદા, મોટા બોરીદા થઈ ધાણીખુટ હાઈવે માર્ગને જોડતો માર્ગ અગાઉ સીંગલ પટ્ટી રસ્તો હતો. તેવા સમયે છ જેટલી એસ.ટી.બસની ટ્રીપો ચાલુ હતી. પરંતુ સમય જતા બિસ્માર રસ્તાના કારણે આ એસ.ટી.ટ્રીપો બંધ કરવામાં આવી હતી. જયારે છેલ્લા એક વર્ષથી આ માર્ગનુ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરી દ્વિમાર્ગીય રસ્તો બનાવવામાં આવેલ છે. છતાં આ માર્ગ ઉ5ર હજુ સુધી સરકાર દ્વારા સરકારી એસ.ટી.બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઘ્યાન આપવામાં આવતુ નથી. ત્યારે શાળાએ જતા બાળકો અને વિધાર્થીઓ, નોકરીયાતો, ધંધાદારીઓની સુવિધાઓને ઘ્યાને લઈ એસ.ટી.બસ સેવા શરૂ કરવા માંગ ઉઠવા પામી છે.