લુણાવાડાના માખલીયા ગામે બે બાળકો તળાવમાં ડુબી જતા મોત

લુણાવાડા, મહિસાગર જિલ્લામાં વરસાદ પડતાં તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. લુણાવાડામાં 5 ઈંચ વરસાદ પડતા કોતર સહિત ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા. ત્યારે લુણાવાડા તાલુકાના માખલીયા ગામે ધો-6 અને ધો-9માં અભ્યાસ કરતા બે બાળકો ભારે વરસાદના કારણે તળાવમાં ડુબી જવાથી મોત નીપજયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર માખલીયા ગામના વતની રોનક અરવિંદભાઈ (ઉ.વ.14)તેમજ વિક્રમ ઉદેસિંહ (ઉ.વ.12)જેઓ માખલીયા તળાવમાં ન્હાવા પડતા ભારે વરસાદના કારણે ઉંડા તળાવમાં ખેંચાવવા લાગ્યા હતા. જેના પગલે બંને બાળકો પાણીમાં ડુબી જતા મોત નીપજયાં હતા. આસપાસના લોકોને બનાવની જાણ થતાં તળાવ ખાતે દોડી આવે બંને ડુબેલ બાળકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી બહાર કાઢ્યા હતા.