બાલાસિનોરમાં એ.ટી.એમ.ખાલી રહેતા લોકો પૈસા વગર રઝળ્યા

બાલાસિનોર, સરકાર દ્વારા બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ બેંક ગ્રાહકોને નાણાંકીય તકલીફ ન પડે તે માટે બેંકો દ્વારા વિવિધ સ્થળોએ એ.ટી.એમ.સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. બાલાસિનોરની બેંકોમાં પણ રજા હોવાથી ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે રાષ્ટ્રિયકૃત સહકારી, ખાનગી બેંકના 10 એ.ટી.એમ.કાર્યરત છે. પરંતુ બેંકના બેજવાબદાર વહીવટના કારણે નગરના એ.ટી.એમ.ઉપર નાણાં નહિ હોવાથી શટરો પડેલા જોવા મળ્યા હતા. જેથી વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.